રાજકોટ
News of Monday, 10th May 2021

દૂધ સાગર રોડના શ્યામનગરમાં રાજસ્થાની યુવાન જયેશ પ્રજાપતિનો ફાંસો ખાઇ આપઘાત

માતા જગાડવા ગઇ ત્યારે લટકતો મળ્યોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૦: દૂધ સાગર રોડ પર  આવેલી શ્યામનગર સોસાયટીમાંરહેતાં જયેશભાઇ હરિભાઇ પ્રજાપતિ (ઉ.વ.૩૨) નામના મુળ રાજસ્થાન પાલીના યુવાને રૂમમાં પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાત કરનાર જયેશ કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આઠેક મહિનાથી તે રાજસ્થાનથી અહિ રહેવા આવ્યો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સવારે તેણે રૂમ બંધ કરીને ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા જગાડવા આવી ત્યારે દિકરો લટકતો મળતાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં થોરાળા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:29 pm IST)