રાજકોટ
News of Thursday, 10th May 2018

મહાનગરોમાં માલધારી વસાહતોનો નિર્ણય આવકાર્યઃ સારાભાઇ જોગરાણા

રાજકોટ, તા., ૧૦: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શહેરીજનોના ટ્રાફીક ધરાવતા માર્ગો પરથી પશુઓની મુશ્કેલીમાંથી મુકત કરવા અને માલધારી સમાજને વધુ સ્વાવલંબી બનાવવાનાં ભાગરૂપે રાજયની ૮ મહાપાલીકા નજીક શહેરથી ૧પ કિ.મી. દુર માલધારી વસાહતો ઉભી કરવાના જાહેર કરેલ નિર્ણયથી માલધારી સમાજમાં આનંદની લાગણી પ્રસરી હોવાનું શહેર ભાજપ માલધારી સેલના પ્રમુખ સારાભાઇ જોગરાણાએ જણાવેલ છે.

રાજયનાં ૮ મહાનગરોમાં માલધારી વસાહત ઉભી કરવા રાજય સરકાર દ્વાાર મહાનગર પાલીકાને રૂ. ૧ ના ટોકન દરથી જમીન તેમજ માલધારી પરીવાર માટે ખાસ આર્થિક સહાય જાહેર કરવામાં આવતા માલધારી પરીવારો દ્વારા લાપસીના આંધણ મુકવા તૈયારીઓ આદરેલ હોવાની ખુશી સારાભાઇએ વ્યકત કરી છે.

(3:48 pm IST)