જંગલેશ્વરના બુધ્ધનગરમાં અગાસી પરથી પટકાતાં નવિન સિંગલનું મોત
રાજકોટ તા. ૧૦: જંગલેશ્વરના બુધ્ધનગર-૫માં રહેતો નવીન દેવજીભાઇ સિંગલ (ઉ.વ.૩૫) નામનો યુવાન અગાસી પરથી પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
બનાવની જાણવા મળેલી વિગત મુજબ નવીન રાત્રે સાડા દસેક વાગ્યે ઘરની અગાસીએ પાળી પાસે હતો ત્યારે અચાનક બેલેન્સ ગુમાવતાં પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ભકિતનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર નવીન બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં એક પુત્રી અને એ પુત્ર છે. તે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ગીરધરભાઇ ચોૈહાણનું બેભાન હાલતમાં મોત
બીજા બનાવમાં જંગલેશ્વર-૨માં રહેતાં ગીરધરભાઇ ધરમશીભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦) સાંજે ઘરે હતાં ત્યારે પેટમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના આર. એસ. સબાડે જાણ કરતાં પીએસઆઇ ડી. એ. ધાંધલ્યાએ જરૂરી કાર્યવાહી કરી હતી.