રાજકોટ
News of Saturday, 10th April 2021

કોરોના સંક્રમણ વધતા બેડી યાર્ડ આવતા સપ્તાહમાં ૩ દિવસ બંધ

રાજકોટ, તા., ૧૦: સર્વત્ર કોરોનાના કેસ દરરોજ મોટા પ્રમાણમાં વધી રહયા છે ત્યારે કોરોના સંક્રમણે રોકવા રાજકોટનું બેડી યાર્ડ આવતા સપ્તાહમાં ૩ દિવસ બંધ રહેશે.

રાજકોટ-બેડી યાર્ડમાં ચેરમેન ડી.કે.સખીયાઍ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તા.૧૨ ને સોમવારથી ગુરૂવાર સુધી યાર્ડ ચાલુ રહેશે. જયારે શુક્ર-શની અને રવી ૩ દિવસ યાર્ડ બંધ રહેશે.

આજે બેડી યાર્ડ ખાતે યાર્ડના હોદેદારો, બોર્ડ, વેપારીઓ અને દલાલોની મીટીંગ મળી હતી જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:07 pm IST)