રાજકોટ
News of Friday, 10th April 2020

જીતેન્દ્ર સવાલીયા ડીસ્ચાર્જ રિપોર્ટ નેગેટીવ

ગીરીરાજ હોસ્પિટલના ડો. મયંક ઠક્કર, ડો. વિશાલ સદાતીયા, ડો. પિયુષ દેત્રોજા અને ડો. રાજેશ મોરીની સફળ સારવાર

રાજકોટ તા. ૧૦ :.. કોરાના મહામારીનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓ પણ ઝડપભેર સ્વસ્થ થઇ રહ્યા છે. રાજકોટના જીતેન્દ્ર સાવલીયા (ઉ.૩૭) ને ગત ર૭ મી માર્ચે કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવેલ.

ગીરીરાજ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયેલ જીતેન્દ્ર સાવલીયાની ૧પ દિવસ સુધી ડો. મયંક ઠક્કર, ડો. વિશાલ સદાતીયા, ડો. પિયુષ દેત્રોજા, ડો. રાજેશ મોરી સહિતના તબીબો અને ૧પ વ્યકિતની મેડીકલ ટીમે  સઘન સારવાર બાદ  જીતેન્દ્ર સાવલીયાનો બે કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. આજે તેઓને ગીરીરાજ હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે.

આમ રાજકોટ શહેરમાં કુલ પાંચ દર્દીઓ સાજા થયા છે.

(4:03 pm IST)