રાજકોટ
News of Friday, 10th April 2020

કોરોનાથી બચવા ઘરે જ રહીને ઘરગથ્થું ઉપાયો દ્વારા આ રીતે વધારો તમારી રોગ પ્રતિકારક શકિત

(૧) ૧ વ્યકિત માટે ૧૦ પાન તુલસી ના તથા ૨ મરી ૧ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ચોથો ભાગ બાકી રહે એટલે ગળીને પીવું

આ ઉકાળામાં સુંઠ, આદુ, હળદર, અજમો, ગોળ જેવા રસોડાના ઔષધો પણ નાખી શકાય .

આ ઉકાળો પીવાથી જઠરાગ્નિ તેજ થાય છે અને જઠરાગ્નિ તેજ થવાથી રોગપ્રતિકારક શકિત વધે છે.

(૨ ) દરેક વ્યકિત માટે કાળી દ્રાક્ષના ૧૦ દાણા રાત્રે પલાળી આખા દિવસ દરમ્યાન ૨ -૨ દાણા ચૂસવાથી ફાયદો થાય છે. કાળી દ્રાક્ષ દ્વારા રોગપ્રતિકારક શકિત ખુબ આપે છે .

(૩) આવા સમયે રોજ એક વાર રાઈ તથા મીઠું અડધી - અડધી ચમચી વાટીને ગરમ પાણીમાં નાસ લેવો જોઈએ.

(૪ ) દરેક લોકોએ પોતાના ઘરમાં રોજ સવાર -સાંજ રાઈ, મીઠું, ગુગળ, લોબાન, નગોડના પાન, સરસવ, લીમડાના પાન, કપુર ગાયનું ઘી, ગાયનું છાણ આમાંથી જેટલું ઉપલબ્ધ હોય તેટલાનો ધુપ કરવામાં આવે તો હવાની શુદ્ઘિ થતા કોરોના જેવા રોગ સામે રક્ષણ મળે છે તથા ફેલાતો અટકે છે.

(પ ) આવા વાયરસ ફેલાવા સમયે જો હળદર મીઠાના કોગળા જો સવાર - સાંજ કરવામાં આવે અને ખાસ રાત્રે સુતા પહેલા કરવા જોઈએ તો રક્ષણ મળે છે.

(૬) ગળા માં ચિકાસ કે ખારૃં લાગે તો સુંઠ મરી પીપર તથા હળદર નો સરખા ભાગે પાવડર કરી મધ સાથે લેવાથી ચાટવાથી સુકી ઉધરસ માં ફાયદો થાય છે અને કોરોના જેવા વાયરસ સામે રક્ષણ મળે છે .

(૭) પીવાનું પાણીમાં થોડી ફટકડી ફેરવી અશુદ્ઘિ તળીએ બેસે એટલે ઉકાળેલું પાણી જ પીવું.

(૮) આવા કોરોના જેવા સક્રાંતિ કાલ ના સમયે હળવો -તાજો-ઝડપ થી પચે તેવો ખોરાક લેવો .

(૯) આ સમય ઘરે રહીને ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા તંદુરસ્તી મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય છે આ તકનો ઉપયોગ કરો.

ડો. જયેશ એમ પરમાર

વિભાગીય નાયબ નિયામક (આયુષ)

રાજકોટ રાજકોટ,

મો. ૯૯૭૮૯ ૮૫૯૮૫

(11:33 am IST)