રાજકોટ
News of Wednesday, 10th February 2021

નરેન્દ્ર મોદીનું રાજ એટલે સમજો પ્રભુનુ રાજ, કોરોના કાળ પણ કંટ્રોલ કરી બતાવ્યો : પૃથ્વીસિંહ જાડેજા

સ્થાનિક લેવલની ચુંટણીમાં ભાજપને અકલ્પનિય બહુમતી મળશે

રાજકોટ તા. ૧૦ : જેની સામે કોઇ ફરીયાદ ન હોય તેમ નરેન્દ્ર મોદીનું રાજ એટલે પ્રભુનું રાજ હોવાની અનુભુતિ આમજનને થઇ રહી હોવાનું રાજકોટના  અગ્રણી પૃથ્વીસિંહ જાડેજાએ જણાવેલ છે.

તેઓએ જણાવેલ કે તેમનું વલણ એટલુ ઉદાર રહ્યુ છે કે મુસ્લિમ સમુદાય પણ તેમને ચાહતો થઇ ગયો છે. ગઇકાલે રાજયસભામાં ગુલામનબી આઝાદની વિદાયવેળાએ વડાપ્રધાનશ્રી જે રીતે ભાવુક બની ગયા હતા તે દ્રશ્યો અતુલનિય હતા.

કોરોનાએ આખા વિશ્વને હચમચાવી દીધુ. તેમ છતા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારે લોક આરોગ્યની ખેવના કરી હેમખેમ સૌને ઉગારી લીધા.

સ્થાનિક લેવલની ચુંટણીઓને સંદર્ભે પૃથ્વીસિંહ જાડેજાએ એવો વર્તારો આપ્યો છે કે ભાજપને સહેલાઇથી અકલ્પનીય બહુમતી મળશે.

(3:06 pm IST)