News of Monday, 10th February 2020
ઇન્ડિયન યોગ એસોસીએશનના ગુજરાત વિભાગની સ્થાપના
રાજકોટ : દેશની યોગ પંરપરા એક સુત્રમાં જળવાઇ રહે અને દેશ વિદેશમાં તેનો પ્રચાર થાય તે હેતુથી ઇન્ડિયન યોગ એસો.ની સ્થાપના થઇ છે. ગત ૨૯ ડીસેમ્બરના વિધિવત તેનો આરંભ કરાયો હતો. સંસ્થાના ગુજરાત વિભાગના ચેરમેન બિરજુ મહારાજના જણાવ્યાનુસાર સંસ્થાની રચના બહોળો વૈશ્વિક ઉદેશ સાથે થઇ છે. યોગ પરંપરાઓને સાંકળશે. સાથો સાથ રાજયના યોગ શિક્ષકો, યોગ ચિકિત્સકો, યોગ અભ્યાસુઓ વૈશ્વિક ફલક પુરૂ પાડશે. સંસ્થાના ઇ-મેઇલ gujarat@yogaiya.in ઉપર સંપર્ક કરી શકાય છે.
(4:02 pm IST)