રાજકોટ
News of Saturday, 10th February 2018

લાભુભાઇ ત્રિવેદી કોલેજમાં યોજાયો રકતદાન કેમ્પ

રાજકોટ : ગરીબ અને જરૂરતમંદ દર્દીઓને વિનામુલ્યે રકત આસાનીથી મળી રહે તેવા આશયથી લાભુભાઇ ત્રિવેદી ઇજનેરી કોલેજ ખાતે રકતદાન કેમ્પનુ઼ આયોજન કરાયુ હુત. સાથો સાથ થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. ફુલછાબના મેનેજર નરેન્દ્ર ઝિબા, શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઇ જસાણી, સીવીલ હોસ્પિટલના ડો. પારૂલબેન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ૧૦૫ થી વધુ લોકોએ રકતદાન અને ૯૦ થી વધુએ થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યા હતા. કેમ્પમાં સિવીલ બ્લડ બેન્કના એમ. ડી. પેથોલોજીસ્ટ ડોકટરોની ટીમે સેવા આપી હતી. (૧૬.૫)

(4:01 pm IST)