સંગઠન સંરચના અર્થે વોર્ડ નં. ૮માં પ્રચાર પ્રસાર
સંગઠન સંરચના અને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર દ્વારા વિધાનસભાવાઈઝ વિવિધ વોર્ડમાં અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બાબતોની ચર્ચા–વિચારણા અંતગર્ત પ્રવાસ યોજાઈ રહયો છે તે અંતર્ગત વિધાનસભા–૬૯ ના વોર્ડ નં.૮ પ્રદેશના આગેવાનો ,વોર્ડમાં રહેતા અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તા જેમાં વોર્ડમાં રહેતા શહેર ભાજપના હોદેદારો, શહેરના કાયમી આમંત્રીતો,વિશેષ આમંત્રીત, શહેર કારોબારી સભ્યો, શહેર મોરચાના હોદેદારો , વોર્ડના પ્રભારી, પ્રમુખ,મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કોષાઘ્યક્ષ, વોર્ડના કોર્પોરેટર , વોર્ડમાં રહેતા શિક્ષણ સમિતિના સદસ્યો , વોર્ડમાં રહેતા સેલ સંયોજકો ,વોર્ડના તમામ મોરચાના પ્રમુખ,મહામંત્રી, કારોબારી સભ્યો, બુથ ઈન્ચાર્જ,સહઈન્ચાર્જ, શકિતકેન્દ્ર સંયોજક અને પ્રભારી, વોર્ડમાં રહેતા આઈટી–સોશ્યલ મીડીયાની ટીમ સાથે આગામી કાર્યક્રમો અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી વોર્ડના બુથ–શકિતકેન્દ્રો, પેજપ્રમુખ– પેેજસમિતિ સહીતની સંગઠનાત્મક બાબતો ઉપર ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી. આ તકે ઝવેરીભાઈ ઠકરાર, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, તેમજ મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, નિતીન ભુત, તેજશ જોષી, કાથડભાઈ ડાંગર, જયસુખ મારવીયા, પ્રતાપભાઈ વોરા, અશ્વીન પાંભર, બીપીન બેરા, પ્રીતીબેન દોશી, ડો. દર્શનાબેન પંડયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.