રાજકોટ
News of Friday, 10th January 2020

શ્યામ મહિલા મંડળ દ્વારા સેમિનાર યોજાયો

જુનાગઢ : શ્યામ મહિલા મંડળ દ્વારા બહેનો અને કુમારીકા માટે સ્વાસ્થ્ય સુરક્ષા અંગે માર્ગદર્શન સેમીનાર રાખવામાં આવેલ જેમાં જૂનાગઢ સરકાર આયુર્વેદ કોલેજના પ્રોફેસર ડો. નીપાબેન એ. જસાણીયા, ગાયનેક ડો. સુરેખા ચાવડા, આયુર્વેદિક કોલેજના મેડીકલ ઓફીસર ડો. રીંકલ સુરાણી વગેરે, આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ મીનાબેન ચૌહાણ જોત્સાબેન ટાંક, છાંયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, હર્ષાબેન કાચા, પારૂલબેન સાપરા, રસીલાબેન મોરવાડીયા, પારૂલબેન જેઠવા, લીલાબેન કાચા, સુશીલાબેન સોલંકી, ચાંદનીબેન ચાવડા, જીજ્ઞાશાબેન ચોટલીયા, હંસાબેન ચોટલીયા, મીનાબેન ચોટલીયા, હીનાબેન ચૌહાણ, દક્ષાબેન પરમાર તેમજ  મંડળની બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનવા કન્વીનર કિશોરભાઇ ચોટલીયા તથા ભરતભાઇ ભાલીયા દ્વારા જહેમત ઉઠાવામાં આવેલ.

(4:16 pm IST)