News of Friday, 10th January 2020
આશાપુરા માતાજીના મંદિરે મા અંબાજીના પ્રાગટ્યોત્સવની ઉજવણી
ધ્વજારોહણ, તલવાર રાસ, રાસ ગરબાની રમઝટ : વ્હેલી સવારથી દર્શનાર્થે માઈ ભકતો ઉમટી પડ્યા
રાજકોટ : આજે પોષી પુનમ અને અંબાજી માતાજીના પ્રાગટ્ય દિન નિમિતે અહિંના પેલેસ રોડ સ્થિત શ્રી આશાપુરા માતાજીના મંદિરે પ્રાગ્ટય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મયુરસિંહ સતુભા જાડેજા દ્વારા નીજ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવેલ. આ સાથે તલવાર રાસ સાથે રાસ ગરબાની પણ જમાવટ થઈ હતી. મહાપ્રસાદનું પણ આયોજન થયેલ. મા અંબાજીના પ્રાગ્ટય દિન નિમિતે નિજ મંદિરમાં વ્હેલી સવારથી માઈભકતો દર્શનાર્થે આવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(4:11 pm IST)