રાજકોટ
News of Friday, 10th January 2020

કોર્પોરેશનના જનરલ બોર્ડમાં કોર્પોરેટરોની ફરજમાં રૂકાવટ અંગે પોલીસ વિરૂદ્ધ કોંગ્રેસ દ્વારા સરકારને ફરીયાદ

રાજકોટ તા. ૯ : મ્યુ.કોર્પોરેશનના જનરલ બોર્ડમાં કોર્પોરેટરોની ફરજમાં રૂકાવટ કરાયાની પોલીસ વિરૂદ્ધ ફરીયાદ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા તથા ઉપનેતા મનસુખ કાલરિયા દ્વારા રાજય સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા સચિવશ્રી અને પોલીસ મહાનિર્દેશકને કરાઇ છે. ફરિયાદમાં જણાવાયું છે કે તા.૧૩/૮/૧૯, તા. ૧૯/૧૦/૧૯ અને તા.૧૮/૧ર/૧૯ એમ સતત ત્રણ જનરલબોર્ડમાં પોલીસે સભાગૃહમાં ગેરકાયદે પ્રવેશ કરી કોંગ્રેસના કોર્પોરેટરોની ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ રાજકોટ પોલીસમાં નોંધાવાઇ છે. છતા ન્યાય નથી મળ્યો ત્યારે આ પ્રકરણમાં ન્યાય અપાવા જવાબદારો સામે ગુન્હો નોંધવા માંગ છે.

(4:06 pm IST)