News of Thursday, 9th December 2021
એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા દિવંગત બીપીન રાવતને શ્રધ્ધાંજલી
રાજકોટઃ ગઇકાલે આપણા ભારત દેશના મીલેટરીના સર્વોચ્ચ વડા સીડીએસ જનરલ બીપીન રાવતનું તેમના પત્ની સાથે અને અન્ય જવાન સાથે એક આકસ્મિક હેલિકોપ્ટર ક્રેશમાં અવસાન થયું. આ દુઃખદ ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. ત્યારે આજે એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન ડો.નેહલ શુકલના માર્ગદર્શનને કોલેજના પ્રોફેસર મિત્રો અને વિદ્યાર્થી દ્વારા મીણબતી પ્રગટાવીને બે મિનિટનું મૌન પાડી સીડીએસના આકસ્મિક અવસાન માટે શ્રધ્ધાંજલિ અર્પી હતી.
(3:59 pm IST)