રાજકોટ
News of Thursday, 9th December 2021

એડવોકેટ જીજ્ઞેશ જોષીના સમર્થનમાં અન્ય દાવેદાર માંકડીયાએ પ્રમુખપદનું ફોર્મ પરત ખેંચ્યું

બાર એસો.ની પ્રતિષ્ઠાભરી ચુંટણીના જંગમાં

 

રાજકોટ તા. ૯: બાર એસો.ની ચુંટણીમાં ડો. જીજ્ઞેશ જોષીના સમર્થનમાં માંકડીયા નાનાલાલ દ્વારા પ્રમુખપદેથી દાવેદારી ફોર્મ આજે પરત ખેંચાયું હતું.

રાજકોટ બાર એશોસીએશનની પ્રતિષ્ઠાભરી જંગ સમાન ચુંટણી આગામી તા. ૧૭/૧ર/ર૦ર૧ના રોજ યોજાવાની છે ત્યારે આજરોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પ્રમુખપદમાં ફોર્મ ભરેલ તેવા એડવોકેટ નાનાલાલ માંકડીયા પ્રમુખ પદના દાવેદાર જીજ્ઞેશ જોષીના સમર્થનમાં પરત ખેંચવામાં આવેલ હતું.

એડવોકેટ નાનાલાલ માંકડીયા એ વધુમાં જણાવ્યું હતું કે હાલની ચુંટણીમાં રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખપદે એડવોકેટ ડો. જીજ્ઞેશ જોષી દ્વારા પણ ઉમેદવારી નોંધાવામાં આવેલ હોય કે જેઓ છેલ્લા ૩ વર્ષથી રાજકોટ બારના સેક્રેટરી તરીકે સક્રિય કાર્યો વકિલ હિતો માટે કરી રહ્યાં છે ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યોને તે વધુ આગામી સમયમાં સારી રીતે કરી શકે તેવા શુભઆશય સાથે મેં મારૃં ફોર્મ ડો. જીજ્ઞેશ જોષીના સમર્થનમાં પરત ખેંચેલ છે. તેમ જણાવેલ હતું

(3:40 pm IST)