સી.ડી.એસ. બિપિન રાવતને શહેર ભાજપ દ્વારા શ્રધ્ધાસુમન
રાજકોટ તા. ૯: તામીલનાડુ ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં દિવંગત થયેલ દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) અને વીર સપુત એવા જનરલ બિપીન રાવતને શ્રધ્ધાંજલી પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવ્યું હતું કે સીડીએસ બિપીન રાવત દેશની શાન હતા. તેઓએ અમેરિકાથી અભ્યાસ કરી પરત આવ્યા બાદ દેશસેવા કરવાનો નિર્ણય કર્યો હતો.
દેશના પહેલા સીડીએસ બિપિન રાવતે પોતાના જીવનનો એક મોટો હિસ્સો ભારતીયડ સેનામાં સેવા આપીને પસાર કર્યો હતો. તેઓએ અશાંત વિસ્તારોમાં, આતંકવાદ અને પ્રોકસી વોરના વિસ્તારો માટે વિશેષણ ગણવામાં આવતા હતા.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ હિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ સંવેદના વ્યકત કરી તેમને શબ્દોથી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.