રાજકોટ
News of Sunday, 9th December 2018

રાજકોટની પી,ડી,માલવિયા કોલેજના પ્રિન્સિપાલ ડો,કમલેશ જાનીની સુપુત્રી નૂપુરનું ચેન્નાઈમાં કાર અકસ્માતમાં કરૂણમોત : સોમવારે સવારે અંતિમ વિધિ

રાજકોટ :રાજકોટની જાણીતી પી,ડી,માલવિયા કોલેજના પ્રિન્સિપાલ ડો,કમલેશ જાનીની સુપુત્રી નૂપુર (ઉ,વ,24)નું ચેન્નાઈમાં કાર અકસ્માતમાં અકસ્માતમાં કરૂણમોત નીપજેલ છે સ્વ નૂપુરના પાર્થિવ દેહને આજે મોડીરાત્રે વિમાનમાર્ગે અમદાવાદ લાવશે

   સ્વ,નૂપુર નિવૃત મામલતદાર એમ,એલ જાનીની પૌત્રી,શૈલેષભાઇ એમ,જાની (ચેરમેન -ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ)જ્યોતીન્દ્રભાઈ એમ,જાની (સદગુરુ મહિલા કોલેજ ),ગજેન્દ્રભાઈ એમ,જાની (એડવોકેટ )ના ભત્રીજી અને ડો,ખ્યાતિ વસાવડાની બહેન તેમજ ડો,હાર્દ અવસાવડાની સાળી થાય છે

   સ્વ,નૂપુરની સ્મશાનયાત્રા રાજકોટમાં કાલે સોમવારે સવારે 10 વાગ્યે પેન્ટાગોન સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામેથી નીકળી મોટામવા સ્મશાન ગૃહ પહોંચશે નૂપુર નાનપણથી જ શિક્ષણકાર્યમાં ખુબ તેજસ્વી હતી

(10:24 pm IST)