ભાજપ દ્વારા ધીમા વોટીંગના પ્રયાસો : ઈન્દ્રનીલ
મતદાન કરતા પહેલા ૫૧ ભૂદેવો પાસે પૂજા કરાવી : આ વખતે મતદારોમાં અનેરો ઉત્સાહ
રાજકોટ, તા. ૯ : રાજકોટ-૬૯ બેઠક ઉપરથી મુખ્યમંત્રી સામે લડી રહેલા ઈન્દ્રનીલ રાજયગુરૂએ ભાજપ દ્વારા ધીમા વોટીંગના પ્રયાસો કરાવાઈ રહ્યાના આક્ષેપો કર્યા હતા.
તેઓએ જણાવેલ કે આ વખતે મતદારોમાં કંઈક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી લોકો સ્વયંભુ મતદાન કરવા જઈ રહ્યા છે. તેઓએ મતદારોમાં પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેઓએ કહેલ કે લોકો ૨૨ વર્ષના શાસનનો આજે મતદાન કરી જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે ઈન્દ્રનીલભાઈએ મતદાન કરવા જતાં પહેલા ૫૧ ભૂદેવો પાસે પૂજા કરાવી હતી. તેઓએ કહેલ કે નાગરીકોના વિચારોથી જ સરકાર બનતી હોય છે. બંને તરફથી ખૂબ પ્રચાર થયો છે. આ વખતે મતદાન માટે કંઈક અનેરો ઉત્સાહ જોવા મળે છે.મેં મારા પાંચ વર્ષના ધારાસભ્ય તરીકે બનતી સેવા પૂરી પાડી છે. લોકકાર્યો કર્યા છે ગત વખતની જેમ આ વખતે પણ લોકો મને ચૂંટી કાઢીને ફરી ગાંધીનગર મોકલશે તેવી આશા વ્યકત કરી હતી.