રાજકોટ
News of Saturday, 9th November 2019

અડવાણીજીને મુકત કરવાની માંગ સાથે સ્વ.રસીકલાલ અનડકટ અને વિનુભાઈ કંટારીયાએ રાજકોટ એરપોર્ટ ખાતે ધરપકડ વ્હોરી હતી

રાજકોટ : રામજન્મભૂમિ આંદોલન વખતે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અડવાણીજી સહિત સંતો - મહંતો અને આગેવાનોની ધરપકડ થયેલ. ત્યારે વાંકાનેરના વતની અને ભાજપ અગ્રણી સ્વ.રસીકલાલ અનડકટે રાજકોટથી મુંબઈ જતા વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ કરેલ અને વિમાન ઉપડવાની પાંચ મિનિટ પહેલા સ્વ.રસીકલાલ અનડકટ અને યુવા ભાજપ પ્રમુખ વિનુભાઈ કટારીયાની પોલીસે ધરપકડ કરેલ. આ સમાચાર 'અકિલા'માં પ્રસિદ્ધ થયા હતા. એ ઐતિહાસિક ઘટના આજ રામ મંદિરનો ચુકાદો આવતા તાજી થયેલ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અડવાણીજીની ધરપકડ થતા તેને મુકત કરાવવાની માગણી સાથે સ્વ.રસીકલાલ અનડકટની આગેવાનીમાં રાજકોટ એરપોર્ટ પર રાજકોટથી મુંબઈ જતુ વિમાનને અટકાવવાનો પ્રયાસ કરેલ અને એ સમયે આ ઘટના સમગ્ર દેશમાં ગાજી ઉઠેલ અને ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ પણ સ્વ.રસીકલાલ અનડકટે વિમાન હાઈજેક કરવાનો જે હિમ્મત ભર્યો પ્રયાસ કરેલ તેની નોંધ લીધી હતી.

(3:45 pm IST)