News of Saturday, 9th November 2019
એનએસયુઆઇ દ્વારા નોટબંધીની શબયાત્રા દ્વારા વિરોધ
રાજકોટઃ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીને આજે ૩ વર્ષ થયા છે ત્યારે આજે એનએસયુઆઇ દ્વારા નનામી કાઢી સુત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તે સમયની તસ્વીરમાં એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી, રાજકોટ જીલ્લા પ્રમુખ એનએસયુઆઇ રોહીતભાઇ રાજપુત અને રાષ્ટ્રીય ડેલીગેટ આદિત્યસિંહ ગોહીલ સહીતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:45 pm IST)