News of Saturday, 9th November 2019
કરણસિંહજી બાલાજી મંદિરે શાંતિ હવન : લોકસુખાકારી માટે પ્રાર્થના
રાજકોટ : અહીંના ભુપેન્દ્રરોડ પર આવેલ કરણસિંહજી હાઇસ્કુલના મેદાનમાં બિરાજતા શ્રી બાલાજીની સન્મુખ આમ તો દર શનિવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ આજે અયોધ્યા ચુકાદાને ધ્યાને લઇ સુખરૂપ અને શાંતિમય વાતાવરણ બની રહે તે માટે શાંતિ હવન કરી પ્રાર્થના કરવામાં આવી હતી. પુરૂષો અને બહેનોએ બહોળી સંખ્યામાં આહુતિનો લાભ લીધો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:42 pm IST)