રાજકોટ
News of Saturday, 9th November 2019

ચુનારાવાડ ચોક પાસે ભંગારના ડેલામાં આગ લાગતા ત્રણ લાખનું નુકશાન

રાજકોટ  : ભાવનગર રોડ પર આવેલ ભંગારના ડેલામાં રાત્રે એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી, બનાવ અંગે બાજુમાં ભંગારનો ડેલો ધરાવતા શૈલેષભાઇ હરીભાઇ ગીરીએ જાણ કરતા ફાયરબ્રીગેડ સ્ટાફ પાંચ ફાયર ફાઇટર સાથે પહોંચી સાડાત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં વેસ્ટેજ પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ તથા પુઠ્ઠા બળી ગયા હતા. તેમાં ૩ લાખનું નુકશાન થયું હોવાનું ડેલાના માલીક સીરાઝભાઇ અમીરઅલી ઇસાણીએ જણાવ્યું હતું.

(3:38 pm IST)