News of Saturday, 9th November 2019
અયોધ્યા ચુકાદા મામલે કલેકટર રેમ્યા મોહનની રાજકોટ શહેર-જીલ્લાના લોકોને શાંતિ જાળવવા અપીલ
સોશ્યલ મિડીયામાં અફવા કે વિવાદીત પોસ્ટ ન મુકવા પણ અપીલ
રાજકોટઃ તા.૯, કલેકટર રેમ્યા મોહને અયોધ્યાના ચુકાદાને અનુલક્ષીને રાજકોટ શહેર-જીલ્લાનો નાગરીકોને શાંતિ રાખવા અપીલ કરી છે. સાથો સાથ તેમણે સોશ્યલ મીડીયામાં અફવા ફેલાવવા કે વિવાદીત પોસ્ટ ન મુકવા પણ જણાવ્યુ છે. જો કોઇ પણ જગ્યાએ અફવા ફેલાવતી કે વિવાદીત પોસ્ટ ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ મથકે અથવા કલેકટર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.
(1:16 pm IST)