રાજકોટ
News of Friday, 8th November 2019

રાજકોટ ભાજપનું શનિવારનું સ્નેહમિલન મુલતવી

કાર્યકરોએ માહિતગાર કરવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો અનુરોધ

 

રાજકોટ : રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત શનિવારનું સ્નેહમિલન મુલ્તવી રાખ્યાનું રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણીએ જણાવ્યું છે મિરાણીએ દરેક કાર્યકરોને જાણ કરતા જણાવ્યું છે કે અનિવાર્ય સંજોગોને કારણે આવતીકાલે તા,9 ને શનિવારે ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન હાલ મુલતવી રાખેલ છે સ્નેહમિલનનો હવે પછીનો કાર્યક્રમ હવે પછીથી જણાવવામાં આવશે જેની નોંધ લેવા અને સબંધિત કાર્યકરોને માહિતગાર કરવા અનુરોધ કર્યો છે.

(12:16 am IST)