રાજકોટ
News of Friday, 8th November 2019

જેઠવા રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર સમાજનું આવતા રવિવારે સ્નેહમીલન

રાજકોટ,તા.૮: દર વર્ષની જેમ રાજકોટ શહેરમાં વસતા તમામ જેઠવા રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર સમાજના ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્નેહમિલન સમારંભનું આયોજન આગામી  તા.૧૦ને રવિવારના સાંજે ૪ થી ૭ કલાકે રાખવામાં આવેલ છે. સમસ્ત જેઠવા રાજપૂત ભાઈઓ બહેનો એકબીજાને ઓળખે પરિચય થાય સંબંધો સ્થપાય, તેમજ એકબીજાના સુખ દુઃખમાં સહ ભાગીદાર થાય તેવા શુભ હેતુથી આ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે. ગામેગામથી જ્ઞાતિના ભાઈ- બહેનો ઉપસ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમ અગાઉ બાળકો માટે વિવિધ પાંચ સ્પર્ધા રાખેલ છે. આ અંગે વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા (પાંડાવદર) મો.૯૯૨૫૨ ૪૮૨૫૧, પૃથ્વીસિંહ જેઠવા (મોરાણા) મો.૯૯૨૫૬ ૦૦૯૦૦નો સંપર્ક કરવો.

આ સમારંભને સફળ બનાવવા માટે ગજેન્દ્રસિંહ જેઠવા (મોરાણા), પૃથ્વીસિંહ જેઠવા (મોરાણા), ભવ્યદિપસિંહ આર.જેઠવા (મોરાણા), મહિપાલસિંહ જેઠવા (મોરાણા), જીતુભા જેઠવા (ગોસા), મહેન્દ્રસિંહ જેઠવા (મોરાણા), દિગ્વીજયસિંહ જેઠવા (મોરાણા), હરદેવસિંહ જેઠવા (ગડુ), હર્ષદસિંહ જેઠવા (કાટવાણા), ગુમાનસિંહ જેઠવા (ગડુ), કેશુભા જેઠવા (ગોસા), પ્રદ્યુમનસિંહ જેઠવા (મોરાણા), યશરાજસિંહ જેઠવા (મોરાણા) તથા રાજકોટ શહેરના સમસ્ત જેઠવા ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તા.૧૦ રવિવારે, સમય- સાંજે ૪ થી ૭ કલાકે, સ્થળઃ ઓસમ પાઠક સ્કુલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે, રાજકોટ (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:05 pm IST)