News of Friday, 8th November 2019
સદ્દગુરૂ સુપર મેગા નેત્ર યજ્ઞ
સ્વ.ભગવાનજીભાઇ છગનલાલ વસાણી, હસ્તે તુષારભાઇ બી.વસાણી, રાજકોટ તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,રાજકોટનાં સયુંકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખનાં મોતિયા વિહિન કરવાનાં અશ્વમેઘ સંકલ્પ પૈકી ૧લો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૩૧૫ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાને રહેવા, જમવા,ચા-પાણી નાસ્તો,શુધ્ધ ઘીનો શિરો,દવા ટીંપા,ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા. ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(3:33 pm IST)