News of Friday, 9th November 2018
ગવરીદળની ૧૮ વર્ષની ચેતના ભરવાડનું મોત
રાજકોટઃ રૈયાગામ રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતી ચેતના બચુભાઇ બાંભવા (ઉ.૧૮) નામની ભરવાડ યુવતિ તા. ૬ના સવારે ઘરે દાઝી જતાં સારવાર હેઠળ હતી. તેનું બેસતા વર્ષના દિવસે જ મોત નિપજ્યું છે. ચેતના ઘરે રસોઇ બનાવતાં દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું ગુરૂવારે અમદાવાદ ખાતે મોત નિપજતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. કે. સી. સોઢાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(12:32 pm IST)