રાજકોટ
News of Monday, 9th September 2019

છાયા વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો

 રમેશભાઇ એમ. છાયા કન્યા વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ. પરંપરાગત રીતે વિદ્યાર્થીઓએ તે દિવસે શિક્ષકની ભૂમિકા ભજવેલ. શાળાના આચાર્યા ડો.લીનાબેન કારીઆ તેમજ અલ્કાબેન અને શ્રી નીશાબેને કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન પુરૂ પાડેલ. શાળાનાં ટ્રસ્ટીશ્રીએ આ વિશિષ્ટ ઉદ્દેશ્યને બિરદાવેલ.

(4:09 pm IST)