રાજકોટ
News of Monday, 9th September 2019

ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું પોલીસે સન્માન કર્યુઃ લાડુ ખવડાવ્યા

રાજકોટઃ શહેરમાં વાહન ચાલકો ટ્રાકિફના નિયમોનું પાલન કરે એ હેતુસર શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ટ્રાફિક એસીપી બી.એ. ચાવડા સહિતના અધિકારીઓ અવાર-નવાર વાહન ચાલકોને પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો યોજે છે. હાલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો હોઇ આજે બોલબાલા ટ્રસ્ટના સહયોગથી 'અકિલા ચોક' ખાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ, સ્ટાફે સન્માન કર્યુ હતું અને ગણેશજીનો સ્વાંગ રચીને આવેલા યુવાનોના હસ્તે આવા વાહન ચાલકોને મોદક (લાડુ)થી મીઠા મોઢા કરાવ્યા હતાં. નિયમોનું પાલન નહિ કરનારા ચાલકોને પણ દંડ નહિ કરી હેલ્મેટ પહેવાર સહિતના નિયમોનું પાલન કરવા સમજ આપી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:56 pm IST)