રાજકોટ
News of Monday, 9th September 2019

ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા અને ૯૮ હજારનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૯: ચેક રીર્ટનના કેસમાં નંદરામ નટુભાઇ ઝરીયાને કોર્ટે ૬ માસની સજાનો હુકમ ફરમાવતો હુકમ કર્યો હતો.

રાજકોટના ફરીયાદી દિનેશભાઇ ભુપતભાઇ માટીયા, એ આરોપી નંદરામ નટુભાઇ ઝરીયા સાથે મીત્રતાના સંબંધો હોય જેથી ફરીયાદી દિનેશભાઇ ભુપતભાઇ માટીયા એ આરોપી શ્રી નંદરામ નટુભાઇ ઝરીયાને અંગત જરૂરીયાત અર્થે નાણાકીય જરૂરીયાત માટે રૂ. ૯૮,૦૦૦/- (અંકે રૂપિયા અઠ્ઠાણું હજાર પુરા) આપેલા. ત્યારબાદ ફરીયાદીએ આરોપી પાસે પોતાના રૂપિયાની માગણી કરતાં આરોપી એ આ રૂપિયા ચુકવવા પેટે રૂ. ૯૮,૦૦૦/-નો ચેક આપેલ જે ચેક ફરીયાદી એ પોતાના ખાતામાં જમાં ચુકવવા પેટે રૂ. ૯૮,૦૦૦/- નો ચેક આપેલો જે ચેક ફરીયાદી એ પોતાના ખાતામાં જમાં કરાવતા સદરહું ચેક "Funds Insufficient" ના શેરા સાથે પરત ફરેલો ઉપરોકત ચેક પરત ફરતાં ફરીયાદીએ પોતાના વકીલ મારફત આરોપીને લીગલ નોટીસ મોકલેલી છતાં આરોપીએ ફરીયાદીને કોઇજ રકમ ચુકવેલ નહીં. ફરીયાદી એ આરોપી વિરૂધ્ધ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. ની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ધી નેગો. ઇન્સ્ટ્રુ્રુ. એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી.

અદાલતમાં કેસ ચાલતા ફરીયાદી તરફે તેમના વકીલ મનિષ વી. કોફટક તથા ભાવેશ આર. બાંધવાની દલીલો તથા પુરાવાઓ માન્ય રાખી અદાલતે આરોપી નંદરામ નટુભાઇ ઝરીયા ને ક્રિમીનલ પ્રો. કોડની કલમ-રપપ(ર) હેઠળ તકસીરવાન ઠરાવી ૬ માસની સાદી કેઢદની સજાનો હુકમ ફરમાવેલ તથા દિનેશભાઇ ભુપતભાઇ માટીયાને રૂ. ૯૮,૦૦૦/- અંકે રૂપિયા અઠ્ઠાણું હજાર પુરા ફરીયાદીને વળતર પેટે દિન-૩૦ માં ચુકવી આપવા તેમજ જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૧ (એક) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છ.ે

(3:47 pm IST)