જેઠ-જેઠાણીના ઝઘડાથી કંટાળી થોરાળાના કંચનબેન ગોહેલે ફિનાઇલ ગટગટાવી લીધું
ન્યુ સાગરમાં વાળંદ પરિણીતા ક્રિષ્નાબેને ભુલથી ફિનાઇલ પીધું
રાજકોટ તા. ૯: નવા થોરાળા ન્યુ સર્વોદય સોસાયટી-૨માં રહેતી કંચનબેન અનિલભાઇ ગોહેલ (ઉ.૩૦) નામની ચમાર પરિણીતાએ રાત્રે સાડા નવેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ થોરાળા પોલીસને જાણ કરી હતી.
કંચનબેનના પતિ અનિલ ગોહેલ મજૂરી કરે છે. તેણીને સંતાનમાં એક પુત્ર છે. કંચનબેનના કહેવા મુજબ બાજુમાં જ રહેતાં જેઠ સુરેશભાઇ અને જેઠાણી લીલાબેન નાની-નાની વાતે સતત અને વારંવાર ઝઘડા કરતાં હોઇ પોતે કંટાળી જતાં ફિનાઇલ પી લીધું હતું.
બીજા બનાવમાં કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી-૯માં રેતી ક્રિષ્નાબેન કિશનભાઇ પાડલીયા (વાળંદ) (ઉ.૨૩) ફિનાઇલ પી જતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. તેણીના લગ્ન અઢી વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્રી છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. ભુલથી ફિનાઇલ પી ગયાનું પોલીસને જણાવાયું હતું.