રાજકોટ
News of Monday, 9th September 2019

ગુજરાતના ખેડૂતો માટે ખુશાલી વરસશે, કપાસનો પાક વીમો હવે હાથવેંતમાં

રાજકોટઃ ભારતના રાજ્ય કક્ષાના કૃષિમંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ અકિલાના આંગણે ૨૦૧૭-૧૮ના વર્ષના કપાસના પાક વીમા અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે, રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ થોડા દિવસ પહેલા દિલ્હી આવેલા. તેમણે આ મુદ્દે રજુઆત કરી છે. ખેડૂતો માટે કપાસનો પાક વીમો આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. એકાદ  સપ્તાહમાં જ કપાસનો   પાક વીમો   જાહેર  થઈ જશે.

(11:54 am IST)