રાજકોટ
News of Tuesday, 9th August 2022

ગૌવંશની રક્ષા અર્થે યજ્ઞ

 

ગૌવંશમાં ફેલાયેલ લમ્પી વાયરસથી ગૌવંશ મુકત થાય અને મૃત્યુ પામેલ ગૌવંશનો મોક્ષ મળે તે હેતુથી બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા મિલનભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ યજ્ઞ-પુજાના આયોજન થયેલ. વેદમાતા ગાયત્રીધામ મંદિર ખાતે ધવલભાઇ શાસ્ત્રી અને હિરેનભાઇ શાસ્ત્રીના આચાર્ય સ્થાને  યજ્ઞનું આયોજન થયેલ. આ  કાર્યક્રમ સફળ બનાવવા વિપુલભાઇ જાની, વીરલભાઇ ભારદ્વાજ, આનંદભાઇ પુરોહિત, દેવાંગ ઠાકર, પરિમલ પંડ્યા, બ્રિજેશ મહેતા, વાસુભાઇ ઉપાધ્યાય, ગૌરાંગ ત્રિવેદી, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, મનોજભાઇ રાજગોર, સમીરભાઇ ખીરા, ભાર્ગવભાઇ જોષી, ધર્મેન્દ્ર દવે, શુભમ જોષી, સમીર પંડ્યા, તેજસ રાવલ, હિતેશ રાવલ, ધર્મિષ્ઠાબેન વ્યાસ, હિરલ જાની, કોમલબેન જોષી, જાગૃતિબેન જોષી, શાંતિબેન શુકલ, વંદનાબેન જાની સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઇઓ બહેનોએ હાજરી આપી હતી.

(4:20 pm IST)