વાવડી ચોકી પાસેથી અનીલ બીયરના ૧૩ ટીન સાથે ઝડપાયો
મિત્ર મનોજ ચૌધરીથી પરમીટમાંથી બીયરના ટીન લીધા હોવાનું રટણ
રાજકોટ, તા. ૯ : દોઢસો ફૂટ રોડ પર વાવડી પોલીસ ચોકી પાસેથી તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બીયરના ૧૩ ટીન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં દારૂ-જુગારની ચાલતી પ્રવૃત્તિને નાબુદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. થોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.કે. રાજપુરોહિત તથા હિતેષભાઇ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વાવડી પોલીસ ચોકી પાસેથી અનીલ પ્રવીણભાઇ લોખીલ (ઉ.વ.૩૩) (રહે. રેલનગર પેટ્રોલપંપની સામે લોકમાન્ય તીલક ટાઉનશીપ બ્લોક નં. સી-ર૧) ને રૂ. ૧૪૮રની કિંમતના બીયરના ૧૩ ટીન સાથે પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા તેણે તેના મિત્ર મનોજ ચૌધરીની પરમીટરમાંથી લીધા હોવાની કેફીયત આપતા તપાસ હાથ ધરી છે.