ભાજપ- ગુજરાત પ્રદેશ આર્થીક સેલ સંયોજક તરીકે રાજકોટમાં એડવોકેટ ડો.માધવ દવેની નિમણુંક
રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સેલની સંરચના કરતાં પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટના એડવોકેટ ડો.માધવ દવેની આર્થીક સેલના પ્રદેશ સંયોજક તરીકે વરણી કરાયેલ છે.
એલ.એલ.એમ., એમ.જે.એમ.સી., એમ.બી.એ., પી.એચ.ડી.ની ડિગ્રીઓ ધરાવતા વરિષ્ઠ એડવોકેટ ડો.માધવ દવે શિશુ અવસ્થાથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપીને, ૧૯૯૭ની સાલથી જાહેર જીવનમાં સક્રિય રહીને, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત રહીને તેમાં પણ પ્રદેશ સુધીની જવાબદારી સંભાળીને હાલમાં ભારતીય જનતા પાર્ટીના હયુમન રાઈટસ સેલ પ્રદેશ કન્વીનર અને રાજકોટ શહેર ભાજપના મંત્રી તરીકે પણ યોગદાન આપી રહ્યાં છે.
એનીમલ હેલ્પલાઈન- શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સેતુબંધ ફાઉન્ડેશન, અભિનવ સોશ્યલ ગ્રુપ, વિવેકાનંદ યુથ કલબ સહિતની અનેકો સેવા સંસ્થાઓ સાથે માધવભાઈ તન, મન, ધનથી સંકળાયેલા છે. રાજકોટ નાગરીક સહકારી બેંકમાં પણ ડાયરેકટર તરીકે સેવા આપે છે. ઉપરાંતમાં પોલીસ સલાહકાર સમિતિના સભ્ય, પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કાર્યકર્તા, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ટ્રસ્ટી, રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સદસ્ય, તેમજ ભાજપ લીગલ સેલ, ભાજપ ચુંટણી સેલમાં કાર્ય કરી રહેલા એડવોકેટ ડો.માધવ દવેને ગુજરાત પ્રદેશ ભાજપમાં આર્થીક સેલના પ્રદેશ સંયોજક તરીકે વરણી થવા બદલ અભિનંદન વર્ષા થઈ રહી છે.(મો.૯૮૨૫૩ ૫૫૮૦૭)