News of Thursday, 9th July 2020
રાજકોટ સોનીબજાર સવારે 10થી બપોરે 4 સુધી ખુલી રહેશે : બપોર બાદ સ્વૈચ્છીક બંધ રાખવા જેમ્સ એન્ડ જવેલરી એસો.ની અપીલ
શહેરમાં વધતા કોરોના સંક્રમણને પગલે બજાર તેમજ પરિવારના સ્વાસ્થ્યને ધ્યાને લઈને તા, 9 થી તા, 19 સુધી બપોરે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવા અપીલ
રાજકોટ : જેમ્સ એન્ડ જ્વલેરી એસો, રાજકોટ દ્વારા શહેરમાં વધતા કોરોના સંક્રમણને પગલે સોનીબજાર તેમજ પરિવારના સ્વાસ્થ્યને ધ્યાને લઇને સ્વૈચ્છીક લોકડાઉન રાખવા નિર્ણંય કર્યો છે કાલે તા, 9 થી તા, 19 સુધી સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી સોની બજાર ખુલી રહેશે ત્યાર બાદ સ્વૈચ્છીક રીતે બંધ રાખવા અપીલ કરાઈ છે
(11:58 am IST)