રાજકોટ
News of Tuesday, 9th July 2019

કુબલીયાપરામાં જૂગારના ઝઘડામાં દકાનો પથ્થરમારોઃ ત્રણ મિત્રો ઘવાયા

રાજકોટ તા. ૯: જંગલેશ્વરમાં રહેતાં ત્રણ મિત્રો સાહિલ કરિમભાઇ પરમાર (ઉ.૨૩), તોૈફિક રફિકભાઇ શીશાંગીયા (ઉ.૩૩) અને નિતીન હકુભાઇ રીબડીયા (ઉ.૩૦)ને સાંજે છએક વાગ્યે કુબલીયાપરામાં હતાં ત્યારે દકા દેવીપૂજકે ઝઘડો કરી પથ્થરમારો કરી ઇજા કરતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. જો કે સાંજે જ ત્રણેયે રજા લઇ લીધી હતી.

સાહિલ કારખાનામાં મજૂરી કરે છે. તોૈફિક બકાલુ વેંચે છે અને નિતીન છુટક મજૂરી કરે છે. ત્રણેય મિત્રને જૂગાર બાબતના ઝઘડામાં દકાએ પથ્થરમારો કરી ઇજા કર્યાનું તેને હોસ્પિટલે ખસેેડનારા યુવાને જણાવ્યું હતું. થોરાળાના હેડકોનસ. એમ. પી. ચરમટાએ સાહિલની ફરિયાદ પરથી કમુ ઉર્ફ દકો બચુભાઇ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. જેમાં સાહિલ અને મિત્રો કુબલીયાપરાના મચ્છી ચોકમાં ગયા ત્યારે દકાએ સામાન્ય વાતચીતમાં બોલાચાલી કરી પથ્થરમારો કરી સાહિલ સહિત ત્રણેયને આંખ પાસે, નાક ઉપર અને કપાળે તથા હાથમાં ઇજા પહોંચાડ્યાનું જણાવાયું છે.

(10:25 am IST)