રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ધરણા
પશ્ચિમ બંગાળની ચુંટણીનું પરિણામ જાહેર થયા બાદ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાનભુલી ભાજપ કાર્યકર્તાઓ પર કરેલ હિંસક હુમલાઓના વિરોધમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા તમામ મંડલોમાં પ્લે કાર્ડ, બેનરો સાથે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા તથા સાંસદો અને ધારાસભ્યોના નેતૃત્વમાં ઉપલેટા શહેર તાલુકો, ભાયાદવર શહેર, ધોરાજી શહેર તથા તાલુકો, જામકંડોરણા તાલુકો, જેતપુર શહેર તથા તાલુકો, ગોંડલ શહેર તથા તાલુકો, કોટડાસાંગાણી તાલુકો, લોધીકા તાલુકો, રાજકોટ તાલુકો, પડધરી તાલુકો, જસદણ શહેર તથા તાલુકો, વિંછીયા તાલુકાઓમાં ધરણા કરવામાં આવેલ.જેમાં જિલ્લા ભાજપના હોદેદારો, પંચાયતના ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ, તાલુકા મંડલ પ્રમુખ અને મહામંત્રીઓ સહીત ભાજપ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા.