જૈનમ્ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી નિઃશુલ્ક કોરોના વેકસીનેશન કેમ્પ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સફળ આયોજનને બિરદાવી શુભેચ્છા પાઠવી : ૩૦૧ લોકોએ મુકાવી રસી
રાજકોટ : કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા સમગ્ર દેશ અને ગુજરાત રાજયમાં શ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં કોરોના વેકસીનેશન માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં ૪૫ વર્ષથી મોટી ઉંમરનાં દરેક ભાઈ-બહેન રસી મુકાવી કોરોના સામે રક્ષણ મળે તેવો ઘ્યેય છે. ત્યારે મહાનગરપાલિકા અને જૈન સમાજની સંસ્થા જૈનમ્ દ્વારા કોવીડ વેકસીન આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયુ હતુ. ગત રવિવારે શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ, ૯/૧૪ સરદારનગર, સરદારનગર મેઈન રોડ ખાતે સવારે ૯ થી બપોરે ૫ સુધી નિૅંશુલ્ક કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયેલ હતો. આ વેકસીનેશન કેમ્પમાં મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વિનુભાઈ ધવા નેતા - શાસક પક્ષ, ડો. રાજેશ્રીબેન ડોડીયા ચેરમેન આરોગ્ય સમિતિ, એ. કે. સિંઘ તેમજ બી. સી. ૫્રજાપતિ - ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરશ્રી, પી.પી. રાઠોડ - આરોગ્ય અધીકારી તેમજ રાજુભાઈ એમ. પારેખ (ઉપપ્રમુખ સરદારનગર જૈન સંધ) ખાસ ઉપસ્થિત રહયા હતા. વેકસીનેશન કેમ્પમાં ગોંડલ સંપ્રદાયનાં ઉત્તમ પરિવારનાં બા.બ્ર.પૂ. શાંતાબાઈ મહાસતીજી આદી ઠાણાએ માંગલીક ફરમાવી વડીલ સાઘ્વીજી પૂ.શાંતાબાઈ મહાસતીજીએ સૌપ્રથમ વેકસીન લઈ કેમ્પનો પ્રારંભ કરાવેલ. આ કેમ્પમાં ૪૫ વર્ષથી વધુ ઉંમર ૩૦૧ ભાઇ-બહેનોએ વેકસીન લીધેલ હતી. જૈનમ્ ટીમ દ્વારા પધારેલ લોકો માટે મીનરલ વોટર બોટલ તેમજ છાસની સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવેલ. જાણીતી સંસ્થા શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ, રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન અને શ્રી રજપુત યુથ કલબનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. સાથે સાથે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ કેમ્પનાં સુંદર આયોજન બદલ જૈનમ ટીમને શુભેચ્છા પાઠવેલ હતી. જૈનમ્નાં જીતુ કોઠારી, જયેશ વસા, સુજીત ઉદાણી, મયુર શાહ, મેહુલ દામાણી, તરૂણ કોઠારી, નિલેશ ભાલાણી, વિક્રાંત શાહ, અમીષ દોશી, નિલેશ શાહ, સેજલ કોઠારી, અમીષ દેસાઈ, જયેશ મહેતા, રાકેશ શાહ, જીતુ લાખાણી, નીપુણ દોશી, શૈલીન શાહ, ભાવિન ઉદાણી, મનીષ મહેતા, હેમલ પરીખ, તેજસ ગાંધી, દર્શન દેસાઈ, ભાર્ગવ પઢીયાર, અલ્પેશ ગોહીલ, દિવ્યેશ દોશી, અમીત દોશી, કિશોર શાહ, અશોક વોરા, ઉદય ગાંધી એ જહેમત ઉઠાવેલ હતી.