રાજકોટ
News of Friday, 9th April 2021

કોરોનાથી સાજા થયા પરંતુ હાર્ટએટેકથી જીવનદીપ બુઝાયો

જાણિતા લોકગાયક બિહારીભાઈ ગઢવીના ધર્મપત્નિ અરૂણાબેનનું દુઃખદ નિધન

કોરોના થયા બાદ વોકહાર્ટમાં દાખલ કરાયા હતા, રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ગઈકાલે અચાનક તબીયત લથડી હાર્ટએટેક આવતા અવસાન

રાજકોટઃ જાણિતા લોકગાયક બિહારીભાઈ હેમુદાન ગઢવીના ધર્મપત્નિ અરૂણાબેનનું દુઃખદ નિધન થયું છે.

અરૂણાબેનને કોરોના આવતા તેઓને વોકહાર્ટ હોસ્પિટલમાં ૨૩ માર્ચથી દાખલ કરવામાં આવ્યા હતા. દસેક દિવસ બાદ તેઓનો રિપોર્ટ નેગેટીવ આવતા આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓની તબીયત સારી પણ થઈ ગઈ હતી. આમ છતાં ગઈકાલે  તેઓને હૃદયરોગનો હુમલો આવતાં તેઓની તબીયત વધુ લથડી હતી. આજે વ્હેલી સવારે તેઓનું દુઃખદ અવસાન થયું હતું.

લોકગાયક બિહારીભાઈ હેમુદાન ગઢવીના ધર્મપત્નિ અરૂણાબેન (ઉ.વ.૬૦) તે નેહાબેન અને શ્રધ્ધાબેનના માતુશ્રી તેમજ રાજેન્દ્રભાઈ (રીટાયર્ડ એડીશનલ કલેકટર) અને  અનિલભાઈના ભાભીનું દુઃખદ નિધન થયેલ છે.

(11:27 am IST)