મુકુંદરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞ
રાજકોટઃ હાલના કોરોના વાયરસ જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે મજુર વર્ગ, રોજમદારો, ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકોને ભોજન મેળવવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આવા કપરા સમયમાં રાજકોટના જયરાજ પ્લોટ સ્થિત શ્રી મુકુંદરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ, વૈષ્ણવાચાર્ય પ.પુ.ગો. ૧૦૮ શ્રી રવિન્દ્રકુમારજી મહોદયશ્રી (રવિન્દ્રબાવા) ના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને શુધ્ધ અને સાત્વિક ભોજનના પેકેટ તૈયાર કરીને પહોંચાડવાનો અવિરત સેવાયજ્ઞ ચાલુ છે.
આ સેવાયજ્ઞની મુલાકાત ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલે લીધેલ અને તેઓએ આ સેવાયજ્ઞને બિરદાવી હતી. આ તકે વોર્ડ નં . ૭ ના ભાજપ અગ્રણી હર્ષદભાઇ રાણપરા, ભરતભાઇ પારેખ તેમજ વૈષ્ણવો પણ હાજર હતા. આ સેવાયજ્ઞમાં ચંદ્રકાંતભાઇ, હરિશભાઇ, ભાવેશભાઇ, બ્રિજેશભાઇ, ગિરિશભાઇ, ભાવનાબેન, બિંદિયાબેન, રંજનબેન વગેરે સેવા આપી રહ્યા છે.