રાજકોટ
News of Thursday, 9th April 2020

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયે ધમધમતુ રસોડુઃ કાર્યકરોની સેવા

રાજકોટ હિન્દુ પરિષદ બજરંગ દળ-દુર્ગાવાહીની દ્વારા વિવિધ ગામોમાં સેવા કાર્યો ચાલુ છે. રાજકોટ શહેરમાં વિહીપ કાર્યાલય ૮, મીલપરા ખાતે જરૂરીયાતમંદ લોકોને ભોજન મળી રહે તેથી રસોડુ ચાલુ કરવામાં આવેલ છે. ભોજન બનાવી જરૂરીયાત મંદોને પહોંચતુ કરવામાં આવે છે.

આ ભગીરથ કાર્યમાં હરિભાઈ ડોડીયા, ભુપતભાઈ ગોવાણી, શાતુભાઇ  રૂપારલીયા, હસુભાઈ ચંદારાણા, હરેશભાઈ ચૌહાણ, નિતેશભાઇ કથીરિયા, રાહુલભાઈ જાની, વિનુભાઈ ટીલાવત , ધનરાજભાઇ રાઘાણી, સુશીલભાઈ પાંભર, મહાવીરસિંહ જાડેજા, રમેશભાઈ લીમ્બાસિયા, મનોજ કદમ, ગૌરવ જાની, હર્ષ વ્યાસ, હિરેન છેલાણી, અંકિત વેકરીયા, અનિલભાઈ કમાણી, હર્ષ મૂતરેજા, દુષ્યતભાઈ ગોસ્વામી મનોજભાઈ પરમાર અજયભાઈ ચેલાણી ,જયભાઈ ગોયાણી રાકેશભાઈ દેલવાડા, કેડી રઘુવંશી, ઉમેશભાઈ મકવાણા, હેનીલભાઈ પરમાર, દિનેશભાઈ ચૌહાણ, હેમલભાઈ ગોહિલ, ધવલભાઇ સોની, વનરાજસિંહ ભટ્ટી, મહાવીરસિંહ રાઠોડ, યોગીરાજસિંહ પડિયાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિગેરે કાર્યકર્તાઓની ટીમ કામ કરી રહી છે.

(3:56 pm IST)