રાજકોટ
News of Thursday, 9th April 2020

એ.પી.એલ. કાર્ડ ધારકોને પણ રાશન આપવાનો નિર્ણય આવકાર્ય : ગોવિંદભાઇ

રાજકોટ તા. ૯ : એ.પી.એલ. કાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ આપવાનો નિર્ણય આવકાર દાયક હોવાનું ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવેલ છે.તેઓએ જણાવ્યુ છે કે સમાજનો મોટો ભાગ કે જે સરકારી સહાયથી વંચિત રહી જતો હતો. આ કપરા સમયે ખરેખર જરૂરત હોય તેવા વર્ગને સમાવીને તેમને પણ રાશન આપવા થયેલ જાહેરાત મધ્યમ વર્ગ માટે રાહતરૂપ નિવડશે. હાલ ધંધા રોજગાર બંધ છે. તે સમયે લેવાયેલ સર્વગ્રાહી નિર્ણય બદલ સરકાર અભિનંદનની યશભાગી હોવાનું અંતમાં ગોવિંદભાઇએ જણાવેલ છે.

(3:51 pm IST)