રાજકોટ
News of Thursday, 9th April 2020

સરધારના ભંગડા ગામના ખુનના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૯ :  ભંંગડા ગામના યુવાનની હત્યાના ગુન્હામાં પકડાયેલ અને જેલમાં રહેલ આરોપીઓ (૧) વૈભવભાઇ વિભાભાઇ મુંધવા (ર) વેજાભાઇ વશરામભાઇ ગમારા (૩) ગોપાલ વિપુલભાઇ ગમારા એ જામીન અરજી કરતા રાજકોટના એડી. સેસન્સ જજશ્રી પરમારે મંજુર કરેલ છે.

સરધારના ભંગડા ગામના યુવાન ઉમેશ રણછોડભાઇ શેરડીયાની હત્યા થયેલ જે ગુન્હામાં આરોપીઓ ર૦૧૮ થી જેલમાં હતા અને સમગ્ર કેસ ચાલી ગયેલ અને બંને પક્ષે દલીલો પૂર્ણ થઇ ગયેલ અને જજમેન્ટ ઉપર મેટર હતી તે દરમ્યાન કોરોનાની મહામારીના કારણે લોકડાઉન થતા અદાલત દ્વારા જજમેન્ટ આપી શકાયેલ નહી. જેથી આરોપીઓએ જામીન અરજી કરી માંગણી કરેલ કે જજમેન્ટના દિવસે હાજર રહેવાની શરતે જામીન આપવા રજુઆત કરેલ હતી.

આ કેસના સંજોગો તથા કોરોનાની મહામારી અને કયારે લોકડાઉન દૂર થાય તે નિશ્ચીત ન હોય અદાલતે ત્રણેય આરોપીઓને ૧પ૦૦૦ના જામીન ઉપર મુદત દાવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી પિયુષ એમ. શાહ અશ્વીન ગોસાઇ, નીતેશ કથરીયા, જાબીદ પારેખ જે.આર. ધુળકોટીયા હર્ષીલ શાહ વિ. બી. પરગીર રોકાયેલ હતા.

(3:48 pm IST)