રાજકોટ
News of Thursday, 9th April 2020

નાના મવા રોડ આવાસ કવાર્ટરમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ દરજી પ્રોૈઢ દિનેશભાઇ સોલંકીનું મોત

રાજકોટ તા. ૯: નાના મવા રોડ ગોવિંદ રત્ન બંગલાની સામે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં દિનેશભાઇ લાલજીભાઇ સોલંકી (ઉ.વ.૫૦) નામના દરજી પ્રોૈઢનું ઝાડા ઉલ્ટી થયા બાદ મોત નિપજ્યું છે.

દિનેશભાઇને બે દિવસથી ઝાડા ઉલ્ટી થયા હોઇ આ બિમારીને કારણે ઘરેથી ૭મીએ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ ટી.આર. બુહાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક અપરિણીત હતાં અને એકલા રહેતાં હતાં. મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં.

(1:39 pm IST)