રાજકોટ
News of Thursday, 9th April 2020

દૂરદર્શનના પત્રકાર ઋષિ દવેએ પુત્ર માહિર બે મહિનાનો થતાં કોરોના અવેરનેસ ફોટોશુટ કર્યુ

રાજકોટઃ દૂરદર્શનના પત્રકાર ઋષિ દવેનો સુપુત્ર માહિર આજે બે મહિનાનો થયો છે. હાલ કોરોનાને કારણે લોકડાઉન છે તયારે સમાજમાં કોરોના અંગે જાગૃકતા ફેલાય તે હેતુથી માહિરનું કોરોના અવેરનેસ ફોટોશુટ કરવામાં આવ્યું હતું. માહિરને માસ્ક પહેરાવી બાજુમાં સ્ટે હોમ લખેલુ ચિત્ર, સેનેટાઇઝર સહિતની ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી. આ તસ્વીરો સોશિયલ સાઇટ્સ પર ખુબ વાયરલ થઇ હતી.

(11:32 am IST)