News of Tuesday, 9th March 2021
શહેરમાં નવા ૧૩ કેસ
કુલ કેસનો આંક ૧૬,૫૬૩એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૬,૧૬૧ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૭.૬૫ ટકા થયો
રાજકોટ, તા.૯: વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૩ કેસ નોંધાયા છે.
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૫૬૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૬,૧૬૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૭.૬૫ ટકા રિકવરી રેટ થયો છે.
ગઇકાલે કુલ ૧૪૬૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૩૯ ટકા થયો હતો. જયારે ૫૫ દર્દીઓ સાજા થયા હતા.
જયારે આજ દિન સુધીમાં ૬,૦૭,૨૨૬ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૫૬૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૩ ટકા થયો છે.
(3:56 pm IST)