રાજકોટ
News of Friday, 9th March 2018

સંતોષ પાર્કમાં નવા બનતા મકાનના બીજા માળેથી પડીજતા રામજીભાઇનું મોત

રાજકોટ તા.૯: રણુજા મંદીર પાછળ સંતોષ પાર્કમાં નવા બનતા મકાનમાં પાણી છાંટતી વખતે બીજા માળેથી પટકાતા કડીયા પ્રૌઢનું મોત નિપજ્યુ હતુ.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ રણુજામંદિર પાછળ સંતોષ પાર્ક-૩માં રહેતા રામજીભાઇ લાલજીભાઇ કાચા (ઉ.વ.૫૫) ના મકાનનું બાંધકામ ચાલુ કોઇ તેથી સવારે તે બીજામાળે છત અને સીડીમાં પાણી છાંટતા હતા

સીડીમાં પાણી છાંટતા હતા ત્યારે પણ લપસી જતા પડી જતા તેને માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. રાજેશભાઇ મેર તથા રાઇટર જેન્તીભાઇ એ તપાસ આદરી હતી મૃતક રામજીભાઇ કડીયાકામ કરતા હતા. ચારપુત્રો અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

બેભાન હાલતમાં  શોભનાબેન ચૌહાણનું મોત

ઠકકરબાપા હરીજનવાસ શેરી નં.૬માં રહેતા શોભનાબેન પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.૪૫) પોતાના ઘરે હતા ત્યારે એકા એક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક શોભનાબેનને સંતાનમાં બે પુત્ર છે આ અંગે પોલીસે તપાસ આદરી હતી.(૧.૧૮)

(4:05 pm IST)