News of Thursday, 8th March 2018
થાનમાં પેટના દુઃખાવાથી કંટાળી ભારતીબેને ફિનાઇલ ગટગટાવી
રાજકોટ તા. ૮: થાન મારૂતિનંદન સોસાયટીમાં રહેતી ભારતીબેન જગદીશભાઇ સુમરા (ઉ.૨૬) નામની વણકર પરિણીતા ફિનાઇલ પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પેટના દુઃખાવાથી કંટાળીને તેણીએ આ પગલુ ભર્યાનું તેના પતિએ જણાવ્યું હતું. તેણીને સંતાનમાં એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ થાન પોલીસને જાણ કરી હતી.
(4:22 pm IST)