News of Thursday, 8th March 2018
નચિકેતા સ્કુલમાં યાદ શકિતનો સેમીનાર
રાજકોટ : બોર્ડની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓ ઓછી મહેનતે વધુ યાદ રાખી શકે તેવા આશયથી નચિકેતા સ્કુલીંગ સીસ્ટમ દ્વારા જાણીતા માઇન્ડ પાવર ટ્રેનર અમિત માણેકનો 'યાદ શકિતનો સેમીનાર' ગોઠવવામાં આવ્યો હતો. રીડીંગ ટાઇમ કઇ રીતે ગોઠવવો અને કઇ રીતે છેલ્લી ઘડની તૈયારી કરવી તેની ટીપ્સ અપાઇ હતી. વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ આ સેમીનારનો લાભ લીધો હતો.
(4:17 pm IST)